News of Monday, 17th May 2021
વાવાઝોડુ રાજકોટ પૂર્વમાંથી મોડી રાત્રે પસાર થવાની શકયતા
રાજકોટ : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ મોડી રાત્રે પૂર્વ રાજકોટમાંથી વાવાઝોડુ પસાર થવાની શકયતા છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના કોટડા સાંગાણી, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર વ્યાપક પણે સ્પર્શી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસર થઇ શકે છે. જેમ આગળ વધશે તેમ નુકશાન ઓછુ થઇ શકે છે.
(10:00 pm IST)