રાજકોટના લોકમેળામાં લોકકલાકાર તુલસીદાસ ગોંડલીયા જમાવટ કરશે
રાજકોટ તા. ૧૭: રેસકોર્ષ ગ્રાઉન્ડ લોકમેળા સમિતિ દ્વારા યોજાયેલ જન્માષ્ટમી લોકમેળાનો આજે તા. ૧૭ થી પ્રારંભ થશે. આ લોકમેળાના મેઇન સ્ટેજ પરથી લોકમેળા ફેઇમ કલાકાર લોકસાહિત્ય, હાસ્ય, મીમીક્રી આર્ટીસ્ટ વિવિધ શૈલીમાં લોકમેળા દરમ્યાન આરંભથી પૂર્ણ સુધી કાર્યક્રમો વિનામુલ્યે આપશે. ગોંડલીયા પ૦ વર્ષથી પોતાની કલાનો સદ્દપયોગ કરી રહ્યા છે. ગોંડલીયા ધર્મોત્સવ, ગણેશોત્સવ, નવરાત્રી, દેવ દીવાળી, રામદેવપીર મહોત્સવ, ધાર્મિક મેળાઓ, સંતવાણી, લોકડાયરા, ગીત-સંગીતના કાર્યક્રમમાં સામાજીક સંસ્થાઓ, ટ્રસ્ટો તેમજ નાના-મોટા મંડળોના કાર્યક્રમો નિઃશુલ્ક આપે છે. આ અવસરને સફળ બનાવવા લોકમેળાના સ્ટેજ કોન્ટ્રાકટર, લોકમીજાજના તંત્રી કિર્તીભાઇ કંસારા તથા લોકમીજાજ પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે.