News of Tuesday, 18th May 2021
હસનશાહ પીરની દરગાહમાં વડલો ધરાશાયી
રાજકોટઃ શહેરમાં રવિવારે રાત્રે શરૂ થયેલ વાવાઝોડાની અસર પછી વિજ પુરવઠો ખોરવાઇ જતા અંધારપટ છવાઇ ગયો હતો ત્યારે જ કોઠારીયા રોડ ઉપર આવેલ ગોકુલનગર સ્થિત હઝરત હસનશાહ પીર દરગાહના સંકૂલમાં દિવાલની બરોબર અડીને આવેલ અંદાજે સવાસો વર્ષ જુનો તોતીંગ વડલો ધરાશાયી થઇ ગયો હતો. જો કે એ સમયે દરગાહના મેદાનમાં કોઇ હતું નહિં પરંતુ દરગાહમાં ઉજવાતા ઉર્ષ સહિતના વિવિધ પ્રસંગોએ જમણવારની રસોઇ કરવા માટે બનાવવામાં આવેલ રસોડાના વિભાગ ઉપર જ વડલો પડતા તે સંપૂર્ણ તુટી ગયો હતો. બીજી તરફ દરગાહ બહાર જબરો ચોક આવેલ છે જે આખો દિવસ ધમધમતો વિસ્તાર છે એ બહારની તરફ પણ વડલો ધરાશાયી નહીં થઇ અંદર મેદાનમાં ઝુકી પડતા એક ચમત્કારીક રીતે કોઇ વધુ નુકશાન થવા પામેલ ન હતું.
(3:06 pm IST)