શ્રી નરસિંહ મહેતા જયંતીએ હાટકેશજન દ્વારા પુષ્પા વંદના
રાજકોટઃ આદ્ય કવિ સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતાની ૬૧૪મી જન્મ જ્યંતી નિમિતે હાટકેશજન રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રામકળષ્ણ નગર ગાર્ડન સ્થિત કાંસ્ય પ્રતિમાને પુષ્પ વંદના વૈષ્ણવ જનનું સમૂહ ગાન પરંપરાગત રીતે યોજવામાં આવ્યો. જેમાં દેવાંગ માંકડ, વિપુલ પોટા, ઓજસ માંકડ, જે. ટી. બક્ષી, હાર્દિક બક્ષી, મુકેશ માંકડ જૈમિન વસાવડા, ભાસ્કરભાઈ ભટ્ટ, અશોક માંકડ, રાજલ મહેતા રવિન્દ્ર ભાઈ અવાશીયા, નિલેશભાઈ વસાવડા, દેવાંગ મંકોડી, રાજીવભાઈ વૈષ્ણવ , નૈયષભાઈ ધોળકીયા, કશ્યપ ધોળકિયા, ઉદય માંકડ, અભયભાઈ અંજારિયા, તુષાર પોટા , આશિષ નાણાવટી, પલ્લવીબેન અંજારિયા, સંજીવ મંકોડી, હિમાંશુ માંકડ, જયેશ વસાવડા, નિલેશ વસાવડા, અજય આચાર્ય, જ્વલંત છાયા, દેવ્યાનીબેન માંકડ, ગિરાબેન મહેતા, વૈષ્ણવ જનનું સમૂહ ગાન ગાયું હતું. રાજીવ વછરાજાની સંયોજક વિપુલ પોટા સહ સંયોજકએ આભારવિધી કરેલ.