રાજકોટ
News of Monday, 18th October 2021

શહેર ભાજપ દ્વારા નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા ૭પ હજાર પોષ્ટકાર્ડ રવાના

રાજકોટઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વહીવટી સાશનને ર૦ વર્ષ પૂર્ણ થયા છે. દેશના વડાપ્રધાન પદને સાત વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં થયેલ દેશનો સર્વાંગી વિકાસ તેમજ વિવિધ યોજના સફળતાપૂર્વક લોકોને મળી છે ત્યારે તેમને અભિનંદ આપતા અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને બિરદાવતા પોષ્ટકાર્ડ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાંથી નરેન્દ્રભાઇ મોદીને રવાના કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના માર્ગજદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ૭પ હજાર પોષ્ટકાર્ડ આજરોજ હેડ પોષ્ટ ઓફીસ ખાતેથી રવાના કરવામાં આવ્યા હતા. આ તકે કમલેશ મિરાણી રામભાઇ મોકરીયા, ધનસુખ ભંડેરી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જીતુભાઇ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિક્રમ પુજારા, પરેશ હુંબલ, દિવ્યરાજસિંહ ગોહીલ, દિપાબેન કાચા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, જયંતભાઇ ઠાકર, કીરણબેન માંકડીયા, કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ, યાકુબ પઠાણ, લલીત વાડોલીયા, જે. પી. ધામેચા, રત્નાભાઇ રબારી, મહેશ અઘેરા, ભરત શીંગાળા, કુલદિપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ હેડ પોષ્ટ ઓફીસ ખાતે અધિકારી સિંધલ તેમજ કે. કે. રૈયાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્દ્રીશ કુફાડ તેમજ ચેતન રાવલ નલહરિએ જહેમત ઉઠાવી હતી. 

(3:49 pm IST)