બજરંગ મિત્રમંડળ દ્વારા નિદાન કેમ્પ
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ અને શ્રી કામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુકત હોમીયોપેથીક અને એકયુપ્રેસર સારવારના સંગમથી દર્દીઓને સાજા કરવાના ભાગરૃપે નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ દાતા ચંદુભાઇ ગોળવાળાના હસ્તે થયો હતો. અતિથિ વિશેષ તરીકે જે.ડી.ઉપાધ્યાય, કે.ડી.કારીયા, રોહિતભાઇ કારીયા, ધૈર્યભાઇ રાજદેવ, કિશોરભાઇ પારેખ, મનુભાઇ ટાંક, ચિરાગભાઇ ધામેચા, પ્રિયવદનભાઇ કકકડ, લક્ષ્મીદાસભાઇ ચૌહાણ, ભોલા મહારાજ હાજર રહયા હતા. એકયુપ્રેસર સારવાર કેમ્પમાં થેરાપીસ્ટ દિનકરભાઇ રાજદેવ, પ્રવિણભાઇ ગેરીયા, અરજણભાઇ પટેલ તથા રત્નાબેન મહેશ્વરીએ સેવા આપેલ. કામનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ કેમ્પમાં હોમીયોપેથીક નિષ્ણાંત ડો.એન.જે.મેઘાણીએ નિદાન કરી આપેલ દર્દીઓને એક માસની દવા વિનામૂલ્યે આપવામાં આવેલ.