News of Saturday, 19th November 2022
સદ્દગુરૃ આશ્રમ રાજકોટ દ્વારા ઇન્દોરમાં ચાર માસ નિઃશુલ્ક મેગા નેત્રયજ્ઞ
રાજકોટ : સદ્દગુરૃ સદન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ રાજકોટ દ્વારા જયાં પુ. ગુરૃદેવશ્રી રણછોડદાસજીબાપુએ બે માસ સુધી કાષ્ટમૌન કરેલ તે ઇન્દોર (મધ્યપ્રદેશ) ખાતે જરૃરીયાતમંદ લોકો ચાર માસનો નિઃશુલ્ક નેત્રયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ગત તા. ૧૫ મીના ઇન્દોર શહેરના પ્રથમ નાગરિક મહાપૌર (મેયર) શ્રી પૂષ્યમિત્ર ભાર્ગવના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવેલ. સાથે સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણી, ચોયથારામ નેત્રાલય ઇન્દોરના ડાયરેકટર ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૫-૩-૨૦૨૩ સુધી આ સેવાયજ્ઞ ચાલશે. ચાર માસ દરમિયાન ઇન્દોર શહેર અને રાજયના કોઇપણ ગરીબ લોકોને આંખોની તપાસ કરી જરૃર હોય તેઓને ઓપરેશન કરી દિવ્ય ગુરૃદ્રષ્ટિ પ્રદાન કરાશે.
(4:05 pm IST)