રાજયપાલની ઉપસ્થિતિમાં યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પદવીદાન સમારંભના આયોજન અંગે બેઠક યોજાઈ
રાજકોટ:રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે તા. ૨૦ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૭મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાનાર છે. જેના અનુસંધાને કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર કે. બી. ઠકકરના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે. બી. ઠકકરએ પદવીદાન કાર્યક્રમના સુચારુ આયોજનની સમીક્ષા કરી હતી. ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, ફાયર સેફટી, ઇલેક્ટ્રિક, આરોગ્ય, ભોજન સહિતની બાબતો અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની સુરક્ષા વ્યવસ્થા તથા મિનિટ-ટુ-મિનિટ આયોજન વિષે ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર. એ. જાવીયા, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, માલતદાર કે.કે.કરમટા, પી.જી.વી.એલ.ના એચ.એમ.ભોજાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના લાયઝેન અધિકારી અમિત પારેખ સહીત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.