રાજકોટ
News of Friday, 20th January 2023

જીયાણામાં રાત્રે બેભાન થઇ જતા વૃધ્‍ધા ધનીબેન બાવળીયાનું મોત

રાજકોટ તા. ૨૦: કુવાડવા નજીકના જીયાણા ગામે રહેતાં ધનીબેન ખોડાભાઇ બાવળીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધા રાતે દોઢેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે જાણ કરતાં એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ધનીબેનને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે.

(3:47 pm IST)