રાજકોટ
News of Saturday, 20th February 2021

રાજકોટમાં પૂ.જેન્તીરામબાપાના ખબર-અંતર પુછતા સંતો મહંતો

જુનાગઢઃ રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ધુનડાના સંત પૂ.જેન્તિરામબાપાએ ૩ મણકાનું ઓપરેશન કરાવતા હાલ તેઓ ત્યાં જ સારવાર હેઠળ છે દરમ્યાન પુ.જેન્તિરામબાપાની તોરણીયા નકલંક ધામના મહંત પુ.રાજેન્દ્રદાસબાપુ તેમજ મહેશ્વરીનાથ માતાજીએ મુલાકાત લઇ ખબર અંતર પુછી જલ્દિ સાજા થઇ જાવ તેવી શુભેચ્છા વ્યકત કરેલ. ઉપરોકત તસ્વીરમાં આ સંતો સાથે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા, ડો.મેહુલ ચૌહાણ તથા ડો.તેજસ કરમટા, હસમુખભાઇશીલુ, સતિષ પરમાર, હિતેષ શીલુ, ભીખુભાઇ જીલરીયા સહિતના સેવકો નજરે પડે છે.(અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:21 am IST)