કાલાવડ રોડ પર ચોથા માળે કલર કામ કરતાં રણબીરનું ઝુલામાંથી પટકાતા મોત
અચાનક આંચકી ઉપડતાં બેલેન્સ ગુમાવ્યું: મુળ પંજાબનો વતની
રાજકોટ તા. ૨૦: કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પો આવેલા ફલેટ પર ચોથા માળે કલર કામ કરી રહેલો મુળ પંજાબનો યુવાન ઝુલામાં બેઠો હતો ત્યારે આંચકી આવતા બેલેન્સ ગુમાવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ મુળ પંજાબ કપુરથલાનો અને હાલ કાલાવડ રોડ આસોપાલવ સોસાયટીમાં કલરકામની સાઇટ પાસે રહેતો રણબીર દાતારામ બીલવાન (ઉ.વ.૩૦) સાંજે સાડા પાંચેક વાગ્યે પંજકભાઇના ફલેટમાં ચોથા માળે કલર કામ કરતો હતો ત્યારે અચાનક આંચકી આવતાં પડી જતાં માથા શરીરે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયવો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક અપરિણીત હતો અને અહિ રહી કલરકામની મજૂરી કરતો હતો. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.