રાજકોટ
News of Tuesday, 20th April 2021

શાસકો જાગે અને અરાજકતામાંથી જનતાને ઉગારે : રાજભા ઝાલા

મોટુ મન રાખી સર્વપક્ષીય મીટીંગ બોલાવવા સુચન

રાજકોટ તા. ૨૦ : કોરોના મહામારીના કારણે સર્વત્ર અરાજકતા વ્‍યાપી છે. સરકારી મશીનરીમાં સંકલનનો અભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. એવા સમયે દરેક સામાજીક અને રાજકીય આગેવાનોએ એક જુથ થઇને નાગરીકોને ઉગારવા આગળ આવવુ જોઇએ. તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠનમંત્રી રાજભા ઝાલાએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે શાશકોએ જનતાને અરાજકતામાંથી બહાર લાવવા મોટુ મન રાખી સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ. જશ અપજશ કે નિવેદન પ્રતિનિવેદનની વાતમાં પડયા વગર હાલ ઇમાનદારી દાખવી બધા આગેવાનોએ સાથે મળી લોકોની મુશ્‍કેલીનો હલ કરવાનો સમય છે.

(4:01 pm IST)