શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં રસીકરણ અભિયાન વેગવંતુ બનાવાયુ
રાજકોટઃ ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા મહા વેકસીન અભિયાન કાર્યરત છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભજપ દ્વારા શહેરના તમામ બુથમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે અને આ જનજાગેૃતી અભિયાનને વેગ મળે અને લોકો સ્વૈચ્છાએ આગળ આવી રસી મુકાવે તેવા ઉમદા હેતુથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રસીકરણ અંગે જનજાગૃતી ફેલાવતી પત્રીકાઓનું વિતરણ તેમજ વેકસીનેસન કેમ્પના આયોજનો કરવામાં આવે છે તે અંતર્ગત શહેરના વિવિધ વોર્ડમાં ટીકા ઉત્સવ અભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયેલ હતા અને રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવેલ તે વખતની તસ્વીર. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, નીતીન ભુત, માવજીભાઇ ડોડીયા, અશ્વીન પાંભર, કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, બીપીન બેરા, હસમુખસિંહ ગોહીલ, નીલેશ ભટ્ટ, ગીરીશ રાઠોડ, શકિતસિંહ રાઠોડ, વિપુલ પાંભર, અતુલ પોકર, મહેશ માખેલા, નંદન માખેલા, પરેશ પીપળીયા (પી.પી.) સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.