News of Tuesday, 20th April 2021
શહેરના સ્ટેશનરીના હોલસેલ -રીટેલ દુકાનોમાં શનીવાર સુધી બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન
વેપારીઓને સ્ટેશનરી પેપર બુકસ મર્ચન્ટ એસો. દ્વારા ચુસ્ત લોકડાઉન પાળવા અપીલ
રાજકોટ તા. ર૦ :.. શહેરમાં કોરોના મહામારીની સ્થિતી ખૂબ જ વધી રહી છે અને તેમના ગંભીર પરીણામો પણ આવી રહ્યા છે. ત્યારે ધી સ્ટેશનરી પેપર બુકસ મરચન્ટ એસોસીએશન દ્વારા સ્ટેશનરીના હોલસેલ અને રીટેલ વેપારીઓને આજથી તા. ર૪ ને શનિવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખવી અને બપોર પછી શકય હોય તો બધાએ લોકડાઉન રાખવા એસોસીએશન સ્ટેશનરીના વેપારીઓને અપીલ કરી સહયોગ આપવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
(4:16 pm IST)