News of Monday, 20th September 2021
આજી-૧ ડેમની જાળીના તાળા વર્ષો પછી નગરજનો માટે ખોલવા નિર્ણયઃ પુષ્કર પટેલ
નાગરીકો નવા નીરને વધાવવા હવે ડેમની પાળી ઉપર જઇને ઓવરફલો નિહાળી શકશે
રાજકોટ તા. ર૦ :.. શહેરમાં પાણીની જીવાદોરી સમાન અને રાજકોટવાસીઓનો હૃદયસમ્રાટ ડેમ આજી-૧ બે દિવસથી ઓવર ફલો થઇ રહયો છે ત્યારે નાગરીકો ડેમની પાળી ઉપર જઇને ઓવરફલો નિહાળવાનો આનંદ માણી શકે તે માટે વર્ષોથી આજી ડેમની પાળી ઉપરની જાળીને મારી દેવાયેલા તાળા જાહેર જનતા માટે ખોલી નાખવાનો મહત્વનો નિર્ણય લેવાયાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે આજે જાહેર કર્યુ હતું.
આમ હવે વર્ષો પછી નાગરીકો ડેમ ઉપર જઇને ડેમની વિશાળ જળ રાશીનો ઓવરફલો નિહાળવવાનો આનંદ માણી શકશે.
(3:10 pm IST)