News of Friday, 20th November 2020
કલેકટર તંત્રમાં ફરી કોરોનાનો ફુંફાડોઃ બે અધિકારીને વળગ્યો
રાજકોટ તા. ર૦ :.. કલેકટર કચેરીમાં ફરી કોરોનાએ તરખાટ મચાવતા દોડધામ થઇ પડી છે, દિવાળી પહેલા એક નાયબ મામલતદારને કોરોના થયો હતો, ત્યારબાદ શાંતિ હતી, ત્યાં ફરી બે અધિકારીને કોરોના વળગ્યો છે.
વિગતો મુજબ કલેકટર કચેરીના નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર વર્ક સંભાળતા અજય ઉંઘાડ, અને ત્રીજા માળે આઇસીટીએસ ઓફીસર કેતન છનીયારાને કોરોના વળગતા બંનેને હોમ આઇસોલેશન કરાયા છે, સારવાર ચાલુ છે બંને કચેરી - બ્રાંચને સેનેટાઇઝ કરી સ્ટાફને એલર્ટ રહેવા કલેકટરે સુચના આપી છે.
(11:31 am IST)