મહારાષ્ટ્રના નાગપાડામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર અજીત યાદવ રાજકોટમાં પકડાયો
થોરાળા પોલીસે યુપીના શખ્સને મયુરનગરમાંથી દબોચ્યો
રાજકોટ તા. ૨૦ : મહારાષ્ટ્રના નાગપાડા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઉત્તરપ્રદેશના મનીયારા ગામના શખ્સને થોરાળા પોલીસે મયુરનગરમાંથી પકડી લીધો હતો. મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપાડા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઉત્તરપ્રદેશના કેરાકત તાલુકાના મનીયારા ગામનો અજીત શ્રીયારામ યાદવ (ઉ.૨૧) એ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની નાગપાડા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. ફરિયાદ નોંધાતા અજીત યાદવ ફરાર થઇ ગયો હતો. દરમિયાન આ શખ્સ રાજકોટના થોરાળા વિસ્તારમાં હોવાની મહારાષ્ટ્ર પોલીસને બાતમી મળતા થોરાળા પોલીસને જાણ કરતા પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભૂપતભાઇ વાસાણી, કોન્સ. નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, સહદેવસિંહ, યુવરાજસિંહ અને રમેશભાઇ સહિતે મયુરનગર મેઇન રોડ સીંગના કારખાના પાછળ સતનામ ડેલામાંથી અજીત શ્રીયારસ યાદવ (ઉ.૨૧) (રહે. મનીયારા)ને પકડી લઇ મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો હતો.