રાજકોટ
News of Saturday, 20th November 2021

બહુચર્ચિત વિવાદ બાબતે પ્રદેશ પ્રમુખ આક્રમક મૂડમાં

યુનિવર્સિટીમાં નો-રીપીટ થિયરી ? પાટીલ કહે છે ચોક્કસ : ખોટું કર્યુ હોય તેની સામે પગલા

રાજકોટ તા. ૨૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી સહિતના વિવાદોનો મુદ્દો અને સેનેટના ભાજપ પ્રેરીત સંભવિત ઉમેદવારો સહિતના મુદ્દા આજે પત્રકાર પરિષદમાં ગાજ્યા હતા. તેમણે નોરીપીટ અને કડક પગલાનો સ્પષ્ટ નિર્દેષ કર્યા છે.

શું યુનિવર્સિટીમાં પણ નોરીપીટ થિયરી આવશે ? જવાબદારો સામે પગલા લેવાશે ? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવેલ કે, ચોક્કસ આવી શકે છે, જેણે ખોટું કર્યું છે તેની સામે પગલા લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટુંક સમયમાં સેનેટની ચૂંટણી આવી રહી છે અને કુલપતિ - કુલનાયકની મુદ્દત પૂરી થઇ રહી છે તેવા ટાણે જ પ્રદેશના પ્રમુખે આપેલ ઉત્તર સૂચક ગણાય છે.

(3:07 pm IST)