રાજકોટ
News of Saturday, 21st November 2020

રેલનગરના ટ્રાન્સપોર્ટર રવજીભાઇનો રાવકી ગામે ઓફિસે ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૨૧: રેલનગર નાથદ્વારા પાર્કમાં રહેતાં અને લોધીકાના રાવકી ગામે જોગમાયા ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ રાખી વ્યવસાય કરતાં રવજીભાઇ રાજાભાઇ બારૈયા (ઉ.વ.૪૯)એ તેમની ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રવજીભાઇએ ગઇકાલે પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આ પગલુ ભરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રવજીભાઇ ચાર ભાઇઅ ને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો જાણતા ન હોઇ લોધીકા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:55 pm IST)