રાજ્યના ૧૩૦ પીએસઆઇની બદલીઃ રાજકોટના પાંચ ફોજદારનો સમાવેશ, નવા પાંચ મુકાયા
રાજકોટ તા. ૨૧: રાજ્યભરના ૧૩૦ પીએસઆઇની બદલીનો ઓર્ડર નીકળ્યો છે. પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ મોડી રાતે બદલીનો ઓર્ડર કાઢ્યો હતો. જેમાં રાજકોટ શહેર ગ્રામ્યના પાંચનો સમાવેશ થાય છે. નવા પાંચ પીએસઆઇની નિમણુંક પણ થઇ છે.
રાજ્યમાં ડી. જી. તરીકે આશિષ ભાટીયાએ ચાર્જ સંભાળ્યા પછી સામુહિક બદલીનો ઓર્ડર કાઢ્યો છે. રાજ્યના ૧૩૦ પીએસઆઇની બદલી થઇ છે તેમાં રાજકોટના ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, પરેશભાઇ જાદવ, આર.એસ. પટેલ, એ.વી. પીપરોતર, અનિરૂધ્ધસિંહ ઝાલા, સુનિલ શ્રીધરણ નાયરનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના હંસાબેન ગઢવી, સુરેન્દ્રનગરના ચંદુલાલ રાઠોડ, છોટા ઉદેપુરના હિરેનભાઇ જામંગ, દેવભુમિ દ્વારકાના પ્રદ્યુમનભાઇ શેરકીયાની રાજકોટ સીટીમાં મુકાયા છે. અમદાવાદના અજયસિંહને પણ રાજકોટ મકુાયા છે.
જાણવા મળ્યા મુજબ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાને હાલમાં ક્રાઇમ બ્રાંચનો ચાર્જ છોડવાનો આદેશ નથી.