રાજકોટ
News of Thursday, 10th June 2021

ત્રંબા પંથકના ગામોમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

રાજકોટઃ ત્રંબા વિસ્તારમાં બે દિવસ પહેલા દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડી જતાં મોટા ભાગના ખેડૂતોએ વાવડી શરૂ કરી દીધી છે. ત્રંબાથી તસ્વીર મોકલી જી. એન. જાદવના કહેવા મુજબ ત્રંબા, વડાળી, ગઢકા, હડમતીયા, સરધારમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતાં. ખેડૂતોએ કપાસ, મગફળી અને કઠોળના વાવેતર કર્યા છે. ગ્રામ્ય પંથકમાં આ મહિનાના વરસાદને રોણનો વરસાદ કહે છે. રોણમાં વાવણીલાયક વરસાદ થાય તેને ખેડૂતો સુકનિયાળ ગણે છે.

(11:54 am IST)