ક્રાંતિમાનવ ટ્રસ્ટને કડવા પાટીદાર સમાજ અમેરિકા અને કોટડિયા પરિવાર દ્વારા એસી એમ્બ્યુલન્સ ભેટ
રાજકોટ તા. ૧૦ : શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ કુવાડવા રોડને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે બે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઓકિસજન સુવિધા સાથેની એસી એમ્બ્યુલન્સ દાનમાં મળેલ છે તેમ સંસ્થાના પ્રમુખ સંજય હિરાણી જણાવે છે.
કડવા પાટીદાર સમાજ નોર્થ અમેરિકા દ્વારા જાણીતા ઉદ્યોગપતિ શાંતિભાઇ ફળદુ, કિશોરભાઇ કુ઼ડારિયા વ્યવસ્થાપક સમિતીના ડો. ભાણજીભાઇ કુંડારિયા, દિનેશભાઇ પટેલ, એલશા કાટેરિયા અને અન્ય આગેવાનોની હાજરીમાં સંસ્થાને અને એમ્બ્યુલન્સ ભેટ અપાયેલ છે બાબુભાઇ ઘોડાસરા પણ ઉપસ્થિત રહેલ બીજી એમ્બ્યુલન્સ કોટડિયા પરિવારે આપેલછે નારણભાઇ તથા ચિંતન, પાર્થ થિયા, વગેરે દ્વારા સ્વ. જડીબેન લીંબાભાઇ કોટડિયા અને સ્વ. મણિબેન વાલજીભાઇ કોટડિયાની સ્મૃતિમાં એમ્બ્યુલન્સ અર્પણ કરાયેલ છે.એમ્બ્યુલન્સનો લાભ લેવા માટે પ્રમુખ સંજય હિરાણી મો. ૯૮રપ૦ ૭૭૪પ૪ ઉપર સંપર્ક સાધવો.