News of Thursday, 10th June 2021
૨૨ સફાઇ કામદારોને નોકરીના ઓર્ડર પદાધિકારીઓના હસ્તે અપાયા
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સોલીડવેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની ચાલુ ફરજ દરમ્યાન અવસાન થાય તો તેમના વારસદારોને તેમજ સ્વૈચ્છિક નિવૃત્ત્િ। આપનાર સફાઈ કામદાર વારસદારને નોકરી પર લેવામાં આવે છે. જેના અનુસંધાને આજ તા.૧૦ના રોજ ચાલુ ફરજે અવસાન પામેલ ૧૪ કર્મચારીના વારસદારને ઉપરાંત ફિકસ પગારનો પીરીયડ પુરો થઇ ગયેલ છે તેવા ૮ સફાઈ કામદારોને મળી કુલ ૨૨ સફાઈ કામદારોને મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર વગેરેના હસ્તે નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા.
(4:07 pm IST)