રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે યોગ અને ધ્યાન કાર્યક્રમ
રાજકોટ::રાજકોટની બી.કે.મોદી સરકારી ફાર્મસી કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે યોગ અને ધ્યાન નું આયોજન થયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટના ઓશો સંન્યાસી હિતેશભાઈ વેકરીયા (સ્વામી આનંદ મહેશ) દ્વારા સ્વામી મનસુખભાઇ લુણાગરિયા તથા જયેશભાઈ તોગડિયાના સહયોગથી કરવામાં આવ્યું તથા તેમના માર્ગદર્શન દ્વારા ઓશો નાદબ્રહ્મ મેડિટેશન નો અંદાજીત સો જેટલા કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ એ રસપાન કર્યું અને આનંદ લીધો.
કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો.જે.આર.ચાવડા તથા કોલેજ કોઓર્ડીનેટર ડો.એ.આઇ.પટેલ, ડો.એમ.વી.કાલરીયા, ડો.એ.જે.વ્યાસ, ડો.જે.આઈ.પટેલ દ્વારા કરવામાં આવ્યું. ધ્યાન અને યોગ કાર્યક્રમ બાદ મતદાર જાગૃતિ અંગે પણ માર્ગદર્શન બધાને આપવા મા આવ્યું હતું.