રાજકોટ
News of Wednesday, 21st July 2021

ભૂખ હડતાલ કરી રહેલા રાજકોટ જેલના બે કેદીની વધુ એકવાર તબિયત બગડી

રાજકોટ તા. ૨૧: રાજકોટ જેલમાં રખાયેલા મોરબીના ૩૦૭ના ગુનાના કેદી રમેશ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.૪૦) તથા અમરેલીના કલડીના ૩૦૨ના ગુનાના કેદી સુરેશ ધનજીભાઇ ચાવડા (ઉ.વ.૪૦) પોતાને અલગ અલગ મામલે સતત અન્યાય થઇ રહ્યાના મુદ્દે કેટલાક દિવસોથી જેલમાં ભુખ હડતાલ કરી રહ્યા હોઇ વધુ એક વાર તબીયત બગતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. અગાઉ પણ બબ્બે વખત આ બંનેને સારવાર અપાવાઇ હતી.

(11:56 am IST)