રાજકોટ
News of Wednesday, 21st July 2021

રાજકોટની અનેક મસ્જીદોમાં વ્હેલી સવારે જ ઇદની નમાઝ પઢી લેવાઇ : કબ્રસ્તાનમાં શ્રાદ્ધતર્ર્પણ માટે લોકો હાજર થયા : એકબીજાને શુભેચ્છાઓ પાઠવી

રાજકોટ :  આજે સવારે મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા ગાઇડલાઇન યથાવત હોઇ પ્રતિબંધાત્મક હુકમો અનુસાર રાજકોટની વિવિધ મસ્જીદોમાં વ્હેલી સવારે ઇદની નમાઝ પઢી લેવામાં આવી હતી અને ઇદની નમાઝ બાદ લોકો કબ્રસ્તાનમાં પોતાના સ્વજનોને શ્રાદ્ધતર્પણ કરવા ઉપસ્થિત થયેલ અને એ સમયે એકબીજાને ઇદના દિવસની મુબારકબાદની આપલે કરી હતી તે સમયની સદર વિસ્તારમાં આવેલ જુમ્આ મસ્જીદ અને સદર કબ્રસ્તાનની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:42 pm IST)