રાજકોટ
News of Wednesday, 21st July 2021

ડઝન વાહનચોરીમાં સામેલ નવાગામના સાહુલ ઉર્ફ સાવલાને પાસા તળે ભુજ જેલભેગો કરાયો

પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ આર.વાય. રાવલ, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ સહિતે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૧: વાહન ચોરીના ગુનામાં સામેલ વધુ એક શખ્સને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે જેલહવાલે કર્યો છે. નવાગામ મામાવાડીમાં બાલાભાઇ કરિયાણાવાળાની દૂકાન પાછળ જોગણી માતાજીના મંદિર પાસેર હેતાં સાહુલ ઉર્ફ સાવલો ભૈયો ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ.૨૪)ને પાસા તળે ભુજ જેલહવાલે કરાયો છે.

સાહુલ ઉર્ફ સાવલો અગાઉ ભકિતનગર પોલીસ સ્ટેશનની ચાર વાહન ચોરી, બી-ડિવીઝનની બે, એ-ડિવીઝનની ત્રણ અને થોરાળાની બે મળી ડઝન જેટલી વાહન ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. તેમજ અગાઉ પણ એક વાર પાસાની હવા ખાઇ ચુકયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ આર. જે. કામળીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, હોમગાર્ડ દિપક પીપળીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી.

(3:22 pm IST)