રાજકોટ
News of Wednesday, 21st July 2021

રાષ્ટ્રીયસંત પૂ. કમલમુનિ મ.સા. 'કમલેશ' ઠા.૬નો ભવ્યાતિભવ્ય ચાતુર્માસ મંગલ પ્રવેશ

મનહર પ્લોટ સ્થા. જૈન શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે : મૂર્તિપૂજક પરિવારના સતીજીની પ્રેરક હાજરી : મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર : ડો. દર્શિતા શાહ તથા સંઘોના હોદ્દેદારો, જૈન શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૧ : શ્રી મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ શેઠ પૌષધશાળા માં વિ.સં.૨૦૭૭ ના ચાતુર્માસ કલ્પર્થે વિશાળ પરિવારધારક શ્રમણ સંઘના ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી મ.સા.નો મંગલ પ્રવેશ શાસન ને શાસન ને શોભે તે રીતે સંપન્ન થયેલ છે. સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી એ પૂ.સંત સતીજીઓ તથા સંઘના દાતાશ્રીઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત શ્રાવક ભાઈઓ બહેનો નું શબ્દો ના સાથિયા પુરી ઉષ્માભેર સ્વાગત અભિવાદન કરેલ. અચલગચ્છીય ગૌવિજ્ઞાની ડો.પૂ દેવરક્ષિતા શ્રીજી, સાધ્વીશ્રી ધન્યરક્ષિતા શ્રીજીએ પોતાના ભાવ વ્યકત કરેલ તેમજ મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સંઘપ્રમુખ સી.એમ.શેઠ, પ્રવીણભાઈ કોઠારી, શૈલેષભાઇ માઉ, બીપીનભાઈ પારેખ, સી.પી.દલાલ તથા શ્રીમતિ વિણાબેન શેઠ સુવિધિ મહિલા મંડળ પ્રમુખ શ્રીમતિ પ્રીતિબેન દફતરી જલગાંવથી પધારેલ ગુરુભકત ભવિનભાઈ ચોરડીયા એ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

પૂ.ગુરૂભગવંત એ ધર્મ માં વધુમાં વધુ રસ લેવા અનુરોધ કરેલ. સંઘપૂજન શ્રીમતી ચારુબેન અદાણી શ્રીમતિ ઉર્વીબેન આશીતભાઈ ગોસલીયા વિરલભાઈ તરૂણભાઈ દેસાઈ શ્રીમતી રાશિબેન હિતેશભાઈ દવે માતુશ્રી સ્વ.શાંતાબેન જયંતીલાલ સંઘાણી હઃજયોત્સનાબેન દિનેશભાઇ સંઘાણી અને માતુશ્રી સ્વ.દમયંતિબેન હરગોવિંદભાઈ ખોખાણી હઃભારતીબેન મુકેશભાઈ ખોખાણી એ જયારે કવર તથા અલ્પાહાર બોક્ષ પ્રભાવના માતુશ્રી સ્વ.સુરજબેન વેણીલાલ કોઠારી હઃસંઘપ્રમુખ ડોલરભાઈ કોઠારી માતુશ્રી સ્વ.ગોદાવરીબેન હકમિચંદભાઈ દોશી હઃશશીભાઈ દોશી શ્રી મહેન્દ્રભાઈ વૃંદાવનભાઈ મહેતા -ડીઝલ ઓટો સેન્ટર માતુશ્રી સ્વ.લાભુબેન હસમુખભાઈ શાહ હઃવિપુલભાઇ શાહ પારસ ટ્રેકટર્સ તથા ગુરૂભકત સુશ્રાવક એ લાભ લીધેલ હતો. ચાતુર્માસ પ્રવેશના અવસરે ભરતભાઇ દોશી, કિશોરભાઈ દોશી, મનોજભાઈ ડેલીવાળા, સુશીલ ગોડા, હેમલભાઈ મહેતા, કેતનભાઈ શેઠ, વિપુલભાઈ શાહ, શશીભાઈ દોશી સંઘ ની સવિશેષ જાહેરાત પ્રદીપભાઈ મહેતા કરેલ.આભારવિધિ તથા જય બોલાવવાની રસમ રજનીભાઇ મહેતાએ સંભાળેલ હતી. ચાતુર્માસ પ્રવેશ ને યાદગાર બનાવવા સંઘપ્રમુખ ના ડોલરભાઈ કોઠારી માર્ગદર્શન હેઠળ સી.એમ.શેઠ, બકુલભાઈ મહેતા, પ્રદીપભાઈ મહેતા, કિરણભાઈ રૂપાણી, ભુપતભાઇ શાહ, વિજયભાઈ સંઘવી, નરેન્દ્રભાઈ મહેતા, યુવાપાંખના જયેશ માટલીયા, સચિન સંઘવી, કાર્તિક કોઠારી, જયદત સંઘાણી, તુષાર અદાણી બન્ને મહિલા મંડળના બહેનો પ્રીતિબેન દફતરી, માલતીબેન શાહ, નિશાબેન વોરા ત્થા સૌ સભ્યબહેનો એ પોતાનું સમયનું યોગદાન આપેલ હતું. મુખ્યમંત્રી વિજયભાઈએ ચંદ્રકાન્ત ભાઈને પત્ર દ્વારા પૂ.કમલેશમુની મા. સા. ને શુભેચ્છા પાઠવેલ.

(3:28 pm IST)