આશારામજી આશ્રમે શુક્રવારે ગુરૂપૂર્ણીમા ઉત્સવ
અખંડ જયોત દર્શન-મહાપ્રસાદઃ ભાવિકોએ લાભ લેવા અનુરોધ
રાજકોટ તા. ર૧ :. સંતશ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ, ખાતે તા. ર૩ ના શુક્રવારે ગુરૂ-પુર્ણિમાં મહોત્સવનું આયોજન થયેલ છે. સરકારની કોવિડ-૧૯ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરીને સવારે ૯ વાગ્યાથી માનસ પુજા, સ્તોત્ર પાઠ, ગુરૂ પાદુકા પૂજન, શ્રી આસારામાયણના પાઠ, પૂજય બાપુનો ગુરૂ-પૂર્ણિમા નિમિતે વિશેષ વિડીયો સત્સંગ, ભજન-કીર્તન વિગેરે કાર્યક્રમો થશે જેનો બધા ભકતજનો લાભ લઇ શકશે. સોશીયલ ડીસ્ટન્સ અનિવાર્ય રહેશે.
પૂજય બાપુ દ્વારા ર૦ વર્ષથી પ્રજવલિત અખંડ જયોતના ગુરૂ પૂનમ ઉપર દર્શન થઇ શકશે. કાર્યક્રમ બાદ બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ મહોત્સવમાં યોગ-વેદાંત સમિતિ તરફથી રાજકોટની ધર્મ-પ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ છે. વધુ વિગત માટે ફોન નં. ર૭૮૩૩પ૪, મો. ૯૩ર૭૧ ૦૯૬૦૮ ઉપર સંપર્ક થઇ શકશે.