ઉચ્છંગરાય ઢેબરની ૧૧૬મી જન્મજયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
રાજકોટ : આજે તા.૨૧ રોજ ઉચ્છંગરાય ઢેબરની ૧૧૬મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડી.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કાયદા કમિટીના ચેરમેન કંચનબેન સિધ્ધપુરા તથા કોર્પોરેટર બિપીનભાઈ બેરા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, અમિતભાઈ સુરેજા, દિલીપભાઈ લુણાગરીયા, કાળુભાઈ કુંગસીયા, નયનાબેન પેઢડીયા, દેવુબેન જાદવ, મંજીબેન કુંગસીયા, સોનલબેન સેલારા, મિતલબેન લાઠીયા, દુર્ગાબા જાડેજા, અસ્મિતાબેન દેલવાડિયા, પરેશભાઈ પીપળીયા, રણજીતભાઈ સાગઠીયા, નીરૂભા વાદ્યેલા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.