માધાપરમાં આઠમા માળે કપડા સુકવતી વખતે લપસી પડતાં પરિણીતાનું મોત
૨૫ વર્ષિય મધુબેનના પ્રકાશ ગોહેલ સાથે અગિયાર મહિના પહેલા જ બીજા લગ્ન થયા હતાં: પ્રકાશના પણ બીજા લગ્નઃ બનાવથી ગોહેલ પરિવારમાં અરેરાટી
રાજકોટ તા.૨૧: માધાપરમાં પોસ્ટ ઓફિસ સામે ગોલ્ડન પોર્ટિકો સી-વિંગ આઠમો માળ ફલેટ નં. ૮૦૧માં રહેતી મધુબેન પ્રકાશ ગોહેલ (ઉ.૨૫) નામની પરિણીતાનું સાંજે આઠમા માળની ગેલેરીમાંથી પડી જતાં મોત નિપજ્યું હતું.
મધુબેન ગોહેલને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. કે. ક્રિヘીયન સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મધુબેન ગેલેરીમાં કપડા સુકવતા હતાં ત્યારે અકસ્માતે લપસી પડતાં આ બનાવ બન્યો હતો. તેણીના પ્રકાશ ગોહેલ સાથે અગિયાર મહિના પહેલા બીજા લગ્ન થયા હતાં. સંતાનમાં આગલા ઘરની એક દિકરી છે. પ્રકાશના પણ આ બીજા લગ્ન છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ આકસ્મિક જ છે કે અન્ય કંઇ બન્યું? તેની વધુ તપાસ થઇ રહી છે.