રાજકોટ
News of Monday, 22nd February 2021

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યુ

રાજકોટઃ રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંતો અને સ્ટાફે વહેલી સવારે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ તકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી અને તમામ સંતોએ શહેરના નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ પણ કરી હતી.

(11:46 am IST)