બેભાન હાલતમાં કોઠારીયાના દિલીપભાઇ ડેરૈયાએ દમ તોડ્યો
રાજકોટ તા. ૨૨: કોઠારીયા ગામમાં પાણીના ટાંકા સામે રહેતાં દિલીપભાઇ નાનજીભાઇ ડેરૈયા (ઉ.વ.૬૭) ઘરે સુતા બાદ તબિયત બગડતાં પ્રથમ કોઠારીયા ખાનગી હોસ્પિટલમાં, ત્યાંથી વોકહાર્ટમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાંથી જાણ થતાં આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વૃધ્ધાશ્રમમાં અતુભાઇ પોપટાણીનું મોત
બીજા બનાવમાં ગોંડલ રોડ સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં અતુભાઇ કેશુભાઇ પોપટાણી (ઉ.વ.૫૨) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
થોરાળાના જીણીબેનનું પણ બેભાન હાલતમાં મોત
થોરાળા વાલ્મિકીનગર-૫માં રહેતાં જીણીબેન નાનજીભાઇ પરમાર (ઉ.૯૦) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં થોરાળાના એએસઆઇ પી. સી. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.