રાજકોટ
News of Thursday, 22nd April 2021

મેટોડાના અંજનાબેનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨: મેટોડા આસ્થા વિલેજ ગેઇટ-૩માં રહેતાં અંજનાબેન કમલભાઇ ત્રિવેદી (ઉ.વ.૪૮) બિમારીને કારણે ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:49 am IST)