આજી ડેમમાં ન્હાવા પડયા બાદ ડૂબી જતા કવલાભાઇ જખાણીયાનું મોત
રાજકોટ તા.૨૧: શહેરના આજી ડેમમાં ન્હાવા પડયા બાદ ડૂબી જવાથી જામનગર રોડ, સાંઢીયા પુલ પાસે રહેતા યુવાનનું મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે ફુટપાથ પર રહેતા કવલાભાઇ લાખાભાઇ જખાણીયા (ઉ.વ.૪૦) ગઇકાલે પત્ની સાથે આજી ડેમે ગયા હતા. ત્યાં કવલાભાઇ ન્હાવા પડયા હતા. પતિ બહાર ન આવતા પત્નીએ તપાસ કરતા પતિ કવલાભાઇ ડૂબી ગયા હોવાની ખબર પડતા દેકારો મચાવતા આસપાસના લોકોએ કવલાભાઇને પાણીમાંથી બેભાન હાલતમાં બહાર કાઢી તાકીદે ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી દીનેશભાઇ તથા પાઇલોટ ભવાનીસિંહએ તાકીદે સ્થળપર પહોંચી તપાસ કરતા કવલાભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જાણ થતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. શૈલેષપરી ગોસાઇએ તપાસ હાથ ધરી હતી. મૃતક કવલાભાઇ મજુરી કામ કરતા હતા.