કાગદડીના મહંતના ચકચારી આપઘાત કેસમાં ડોકટર અને વકીલની આગોતરા અરજીનો બપોર બાદ ચુકાદો
રાજકોટ તા. રરઃ કાગદડીના ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડવાના ચકચારી કેસમાં સંડોવાયેલ રાજકોટના જાણીતા ડોકટર અને વકીલે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીનો સંભવત આજે બપોર બાદ ચુકાદો અપાનાર છે.
આ કેસમાં પ્રથમ ડોકટર દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વકીલ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.
આ અરજીના સંદર્ભમાં પોલીસ દ્વારા બંને સામે પ્રથમ દર્શનીય ગુનો હોય આગોતરા જામીન અરજી રદ કરવા સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું હતું.
આ કામે સરકારી વકીલ એસ. કે. વોરાએ એવી રજુઆત કરેલ કે, બંને આરોપીઓ સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. મરનાર મહંતે આપઘાત કરેલ હોય અને સ્યુસાઇડ નોટ લખેલ હોવાનું જાણવા છતાં મહંતનું મૃત્યુ કુદરતી હોવાનું માની મહંતની લાશનું પી.એમ. કરાવ્યા વગર બારોબાર અગ્નિદાહ અપાયેલ છે.
આ ઉપરાંત પોલીસે જે પુરાવો મેળવેલ છે. તેમાં પણ ડોકટર અને વકીલની સંડોવણી હોવાનું જણાવી આગોતરા અરજી રદ કરવા સોગંદનામું કરવામાં આવેલ છે.
આજે બપોર બાદ બંનેની આગોતરા જામીન અરજીનો બપોર બાદ ચુકાદો આવે તેવી સંભાવના છે.