દિવંગતોની સ્મૃતિમાં રકતદાન કેમ્પ : સેટેલાઇટ ચોકમાં પ્રેરક આયોજન
રાજકોટ : પૂર્વ વિભાગમાં વોર્ડ નં. ૪ ની હદમાં આવેલ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે મધુવન શાળામાં સારથી લોકસેવા ટ્રસ્ટ દ્વારા સમાજ સેવકો સ્વ. ખોડાભાઇ અમરેલીયા અને સ્વ. પંકજભાઇ પાનસુરીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરવા રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. લોકોએ ઉત્સાહભેર રકતદાન કરતા ૧૬૧ બોટલ રકત એકત્ર થયેલ. આ કેમ્પની શરૂઆત સ્વ. ખોડાભાઇની લાડલી દિકરી માધવએ પ્રથમ રકતદાન કરીને કરાવી હતી. આ તકે સારથી લોકસેવા ટ્રસ્ટના મંત્રી વિઠ્ઠલભાઇ ઢાંકેચાએ ૭૯ મી વખત રકતદાન કરી યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમનું દિપપ્રાગટય ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. તે પ્રસંગે શહેર મંત્રી કિશોરભાઇ રાઠોડ, ઉપ્રમુખ અશોકભાઇ લુણાગરીયા, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, અન્ય કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ઠાકરશીભાઇ અકબરી, ડો. રવિ ગોંડલીયા, રાજેશ ભાનુશાલી, વલ્લભભાઇ પીપળીયા, ધીરૂભાઇ પીપળીયા, પરબતભાઇ રંગાણી, તુષાર ભંડેરી, હરેશભાઇ લુણાગરીયા, અરવિંદભાઇ મારકણા, કલ્પેશ આસોદરીયા, કલ્પેશ ડોબરીયા, લખન સીતાપરા, પ્રફુલ દેથરીયા, મયુરભાઇ ભંમર, સોનુભાઇ, જયદીપ ગોંડલીયા, પ્રકાશભાઇ સાકરીયા, રાજુ સાવલિયા, વિવેક હેરમા, ચંદનસિંહ કુશવાહ, મનીષ માલવિયા, સુનિલ માલવિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.