News of Tuesday, 22nd June 2021
અયોધ્યામાં ગૌશાળા નિર્માણ માટે સ્થળ મુલાકાત
સમસ્ત મહાજનની ટીમે તાજેતરમાં આયોધ્યા રામજન્મભુમિની મુલાકાત લીધી હતી. સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગીરીશભાઇ શાહે અયોધ્યાના નગર નિયામક ઋષિકેશ ઉપાધ્યાય, વિકાસ પ્રાધિકરણના વાઇસ ચેરમેન અને મ્યુ. કમિશ્નર વિશાલસિંહ તેમજ અન્ય સતાધીશો સાથે અયોધ્યાની આદર્શ ગૌશાળા પાંજરાપોળ નિર્માણ માટે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. મુંબઇથી આવેલ ટીમે ગૌશાળા વિકાસ અંગે પ્રેઝન્ટેશન પણ રજુ કરેલ. આ મીટીંગમાં મિતલ ખેતાણી, આયોધ્યાના સ્થાનિક જીવદયા અગ્રણી પ્રવિણ દુબે, સૌરવ ઘોષ, પવનભાઇ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
(4:14 pm IST)