પરાપીપળીયા એઇમ્સની સાઇટ પર ઝારખંડના મજૂર રમેશનું મોત
કેટલાક દિવસથી તાવ આવતો હતોઃ સિવિલમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર પરાપીપળીયા ખાતે બની રહેલી એઇમ્સ હોસ્પિટલની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતાં મુળ ઝારખંડના રમેશ શીનુભાઇ ઇચાગુરૂ (ઉ.વ.૨૪)નું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું.
રમેશ સાઇટ પર હતો ત્યારે રાતે તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રમેશ ચાર ભાઇમાં નાનો હતો. તે કેટલાક સમયથી અહિ કડીયા કામ કરવા આવ્યો હતો. તેને ત્રણેક દિવસથી તાવ આવતો હતો અને ગત રાતે તબિયત બગડ્યા બાદ મોત નિપજ્યું હતું. મૃતદેહ તેના વતન લઇ જવાયો હતો.
નેકનામમાં મુકતાબેને ઝેર પીધું
ટંકારાના નેકનામમાં રહેતાં મુકતાબેન જગદીશભાઇ દલસાણીયા (ઉ.વ.૫૦) નામના મહિલાએ સાંજે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. તેણે ભુલથી પી લીધાનું રટણ કર્યુ હતું. ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.