માન સરોવર પાર્કમાં કપડા સૂકવતી વખતે ઇલાબેન દવેને વિજયકરંટ લાગ્યો
માતાને બચાવવા જતા પુત્રી અને પુત્રને કરંટ લાગતા ત્રણેય સારવામાં
રાજકોટ,તા.૨૩ : આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં કપડા સુકવતી વખતે મહિલાને વીજ કરંટ લાગતા તેને બચાવવા જતા પુત્ર અને પુત્રીને પણ કરંટ લાગતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતા ઇલાબેન ડાયાભાઇ દવે (ઉવ.૪૮) સાંજે પોતાના ઘરે કપડા સૂકવતા હતા ત્યારે કપડુ વીજતારને અડી જતા તેને કરંટ લાગતા દેકારો મચાવતા પુત્રી દર્શાલી ડાયાભાઇ દવે (ઉવ.૧૮) અને પુત્ર નિલેષ (ંઉવ.૨૬) બંને તુરત જ દોડી આવ્યા હતા. અને માતા ઇલાબેનને બચાવાવ જતા બંનેને પણ કરંટ લાગ્યો હતો. દેકારો બોલતા પરિવારજનો તથા આસપાસના લોકો એકઠા થઇ ગાય હતા અને ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.