શહીદ દિન નિમિત્તે ૩૦ જાન્યુઆરીએ ૧૧ વાગ્યે મૌન પાળવા સૂચના
રાજકોટ તા.૨૧ : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરો એ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદોની સ્મૃતિમાં તારીખ ૩૦મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ શહીદ દિને સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવે છે. જેના સંદર્ભે તા.૩૦ જાન્યુઆરીના રોજ ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવાનું તેમજ કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં ૧૦.૫૯ કલાકે એક મિનિટ માટે એટલે કે ૧૧ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળી સૂચના આપવાની રહેશે અને બે મિનિટ બાદ એટલે કે ૧૧.૦૨ કલાક થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વગાડવાની રહેશે.