રાજકોટ
News of Monday, 23rd May 2022

નવાગામ ન્‍યુ શકિત સોસાયટીમાં દિનેશ સાપરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

યુવાને આર્થિક ભીંસના કારણે પગલુ ભર્યું હોવાની પોલીસને શંકા

રાજકોટ તા. ર૩: નવાગામ છપ્‍પનીયા ન્‍યુ શકિત સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ નવાગામ છપ્‍પનીયા ન્‍યુ શકિત સોસાયટીમાં ભુરાભાઇના મકાનમાં ભાડે રહેતા દિનેશ ધીરૂભાઇ સાપરા (ઉ.વ. ૩૧) એ ગઇકાલે ઘરમાં રૂમમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો મિત્રએ તેને ફોન કરતા દિનેશે ફોન ન ઉપાડતા તે ઘરે ગયો ત્‍યારે દરવાજો બંધ હતો. બાદ તેણે દરવાજાની બાજુની બારી ખોલીને જોતા લટકતી હાલતમાં જોવા મળતા તેણે આસપાસના લોકોને જાણ કરતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. બાદ દરવાજો તોડી અંદર જોતા દિનેશ લટકતી હાલતમાં હોઇ કોઇએ તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી રમેશભાઇએ તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ કે. યુ. વાળા તથા રાઇટર ગોપાલભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દિનેશ પત્‍ની અને એક પુત્ર સાથે ન્‍યુ શકિત સોસાયટીમાં બે વર્ષથી રહેતો હતો. તે ડ્રાઇવીંગ કરતો હતો માતા-પિતા બામણબોરના ગારીયાધાર ગામે રહે છે. ગઇકાલે પત્‍ની પુત્ર સાથે માવતરે ગયા બાદ પાછળથી તેણે આ પગલું ભરી લીધું હતું.

યુવાને આર્થીક ભીંસના કારણે પગલું ભર્યું હોવાની પોલીસે શંકા વ્‍યકત કરી છે.

(12:45 pm IST)