રાજકોટ
News of Monday, 23rd May 2022

મનોજ રાઠોડ અકસ્‍માતગ્રસ્‍તની મદદે

 આટકોટમાં હોસ્‍પિટલ લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત જિલ્લા ભાજપ અ.જા. મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ તાલુકાના પ્રવાસે નિકળતા માર્ગમાં એક બહેન અકસ્‍માતથી ઘવાયેલા જોવા મળેલ. તુરંત તેમણે ૧૦૮ ને બોલાવી તેમને સારવાર મળે તેવો પ્રબંધ કરાવી આપ્‍યો હતો. આ સમયે જિલ્લા ભાજપ અ.જા. મોરચાના ઉપપ્રમુખ વજુભાઇ મકવાણા, પૂર્વ તા.પં. સભ્‍ય ભુપતસિંહ જાડેજા, મીડિયા ઇન્‍ચાર્જ જયશવંતભાઇ દાફડા વગેરે પણ સાથે રહ્યા હતા.

 

(3:43 pm IST)