રાજકોટ
News of Thursday, 23rd September 2021

પરાપીપળીયામાં પાટા ઓળંગતી વખતે ટ્રેન આવી ગઇઃ જીતેન્દ્રભાઇનો પગ કપાઇ ગયો

રાજકોટ તા. ૨૩: જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતાં જીતેન્દ્રભાઇ બટુકભાઇ ગોહેલ (રજપૂત) (ઉ.વ.૪૫) રાતે નવેક વાગ્યે પરાપીપળીયા ફાટક પાસે પાટા ઓળંગી રહ્યા હતાં ત્યારે ટ્રેન આવી ગયાની ખબર ન પડતાં ઠોકરે ચડી જતાં ડાબો પગ કપાઇ જતાં અને શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

જીતેન્દ્રભાઇના પત્નિ હયાત નથી. તેમને સંતાનમાં એક પુત્રી છે. પોતે પ્લમ્બીંગ કામ કરે છે. રાતે કામેથી છુટીને ઘરે આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હોવાનું તેમના સગાએ કહ્યું હતું.

(12:43 pm IST)