રાજકોટ
News of Friday, 23rd September 2022

માલવિયા ચોકથી ગોંડલ રોડ સુધી ફોર વ્હિકલ વાહનોને અવરજવરની મંજૂરી આપતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટ:રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જારી કરેલા આદેશ મુજબ ગુજરાત સરકારની એસ.ટી. ડેપોનું હવે સંપૂર્ણપણે સ્થળાંતર થઈ ગયેલ હોવાથી માલવીયા ચોકથી ગોંડલ રોડ સુધી ફોર વ્હીલ વાહનો પૂરતું પ્રવેશ બંધનું જાહેરનામું રદ કરવામાં આવે છે. આથી આ માર્ગ ઉપર ફોરવ્હીલ વાહનો અવરજવર કરી શકશે જેની જાહેર જનતાને નોંધ લેવા યાદીમાં જણાવ્યું છે.

(8:21 pm IST)