રાજકોટ
News of Friday, 23rd September 2022

પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં જીવદયા અનુમોદનાઃ દાતા સન્માન

રાજકોટ તા. ર૩: ભાણવડ તાલુકાના કાટકોલા નજીક જશાપર ગામે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં તપ મહોત્સવ પ્રસંગે ગૌમાતા જીવરક્ષા ચડાવાનો લાભ રસીલાબેન હિંમતલાલ શેઠ હ. ભાવના નિકુંજ શેઠ અને નલિનીબેન મહેતાએ લીધેલ.

જયારે સંકુલમાં મોતીબેનની તપસ્યા નિમિતે નમો તવસ્સ તકતીનો લાભ માતુશ્રી હેમીબેન અરજણભાઇ માળિયા અને જય મહાવીર તકતીનો લાભ સુશીલાબેન અનિલકુમાર બદાણીએ લીધેલ. ગૌમાતા લાડુ યોજના કૂપનમાં અનેક ભાવિકો જોડાતા જાય છે. રાજકોટ જૈન મોટા સંઘ, સુરત, ગીતગુર્જરી, જૈન ચાલ વગેરેએ ચાતુર્માસની વિનંતિઓ રજૂ કરેલ.

સાંગલી સંઘ, કાઠિયાવાડ સમાજ-અમદાવાદ તેમજ વડીયા ગુરુકુળના પ્રતાપભાઇ કામદાર, મહેન્દ્રભાઇ દોશી, મનુભાઇ દામાણી વગેરેએ તપસ્વીઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:39 pm IST)