મનપાના પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ ફરી નારાજ : સોમવારે કરશે ઉગ્ર રજુઆત
૧૩ પ્રશ્ન બાબતે ઉકેલાતા મ્યુ. કમિશનરને આવેદન પઠવાશે
રાજકોટ,તા.૨૩ : તાજેતરમાં જ મનાના કર્મચારી યુનિયનોની જુની પેન્શન યોજના, કર્મચારીની વય મર્યાદા સહિતના ૨૯ પ્રશ્ન ઉકેલવા મનપાના અધિકરી અને પદાધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી ત્યારે ૨૫ પૈકી ૧૩ પ્રશ્નોની સમસ્યાનો નિરાકરણ ન આવતા રાજકોટ મહાનગરપાલિકા પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા સોમવારે ફરી મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવશે.
પછાત વર્ગ મ્યુ. ની કર્મચારી મંડળ દ્વારા મ્યુ. કમિશનરને સોમવારે વિવિધ પ્રશ્ન બાબતે ફરી રજુઆત કરવામાં આવશે જેમાં મેલેરીયા, એ.એન.સી.ડી., કન્ઝરવન્સી વિભાગના કર્મચારી માટે જુથ વિમો લેવા બાબત, એસ.એસ. આઇ. ને એસ.ઓ. માં બઢતી આપવા, એસ.ઓ. લાયકાતમાં સુધારો કરવા, મનપા કર્મચારીઓને ૩ લાખની મર્યાદામાં તબીબો સહાય ચુકવવા નિતી નક્કી કરવા તથા મનપાના વહીવટી સેટઅપમાં વધારો કરવા સહિતના પ્રશ્નો સમાવેશ થાય છે.