સૌરાષ્ટ્ર રેકડી એસો.ની સ્થાપના
તંત્ર દ્વારા રોડ પરની હરતી ફરતી રેકડીઓને પણ ઉઠાવી લઇ દંડ કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવા રેકડી ધારકોને સંગઠીત કરવાના હેતુથી સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા સહીતના પ્રતિનિધિઓની નિયુક્તિ કરી જયુબેલી બાગ ખાતેની એક બેઠકમાં ‘સૌરાષ્ટ્ર રેકડી એસોસીએશન'ની સ્થાપના કરવામાં આવી હતી. તમામ રેકડીઓનું રજીસ્ટ્રેશન કરી એમ્બ્રોઝ નંબર પ્લેટ લગાવવામાં આવશે. જોડાવા ઇચ્છુકો માટે હેલ્પલાઇન મો.૮૬૪૩૮ ૭૮૬૯૨ ટુંક સમયમાં કાર્યાન્વીત કરાશે. આ કોર કમીટીની મીટીંગમાં સંયોજક આશીફભાઇ શેખ, મગનભાઇ પટેલ, અશોકભાઇ બુટાણી, ડો. જયેશભાઇ વ્યાસ, ઉતમભાઇ રાઠોડ, રાજેન્દ્રસિંહ ઝાલા (લોક સ્વરાજ મંચ) તેમજ અલ્પેશભાઇ વેકરીયા (ભારત બચાવો અભિયાન), મહિલા અગ્રણી પૂજાબેન ગઢીયા, નઝમાબેન સુમરા ઉપસ્થિત રહ્યા હતા. હેલ્મેટ સત્યાગ્રહ અભિયાનના પ્રણેતા અશોકભાઇ પટેલ અને પ્રવિણભાઇ લાખાણીએ આ એસોસીએશનને શુભચ્છાઓ પાઠવી હતી.