રાજકોટ
News of Thursday, 24th June 2021

અશાંત ધારો : ૪૦૦ ફાઇલોનો નિકાલ

હજુ ૧૦૦ ફાઇલો પેન્ડીંગ : એમાંથી પ૦ ટકા તો પોલીસ તપાસમાં

રાજકોટ, તા. ર૪ :  રાજય સરકારે શહેરની આમ્રપાલી વિસ્તારની કુલ ર૪ જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કર્યો છે, આ વિસ્તારમાં રહેતા લોકોએ મકાન-પ્લોટ-ફલેટ-જમીનના ખરીદ-વેચાણ અંગે રાજકોટ કલેકટર પાસેથી મંજુરી લેવી ફરજીયાત છે. દરમિયાન કલેકટર કચેરીના સુત્રોના કહેવા પ્રમાણે આજ સુધીમાં તંત્રે આવેલ ફાઇલોમાંથી ૪૦૦ ફાઇલોનો નિકાલ કર્યો છે, મોટાભાગની ફાઇલોને મંજુરી અપાઇ છે, હજુ ૧૦૦ ફાઇલો પેન્ડીંગ છે, એમાંથી પ૦ ટકા તો પોલીસ તપાસમાં છે, આગામી અઠવાડિયામાં આ ફાઇલોને પણ મંજુરી આપવા અંગે નિર્ણય લેવાશે.

(3:26 pm IST)