News of Thursday, 23rd June 2022
હપ્તા ચડી જતાં ગોકુલધામના ભરત રાઠોડને માર મારી રિક્ષા લઇ જવાઇ
ફાયનાન્સ કંપનીના કર્મચારી સાથે કામ કરતાં લાલા સહિતે ઘુસ્તાવ્યાનો આક્ષેપઃ ઘાયલ ભરવાડ યુવાને સારવાર લીધી
રાજકોટ તા. ૨૩: ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટી-૬માં રહેતાં ભરત કરસનભાઇ રાઠોડ (ભરવાડ) (ઉ.વ.૩૫) નામના રિક્ષાચાલક યુવાનને તે ઢેબર રોડ પર પાણીના ટાંકા પાસે રિક્ષા લઇને ઉભો હતો ત્યારે લાલો ભરવાડ સહિતના શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકાપાટુ અને ધોકાનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.
ભરતે ફાયનાન્સમાંથી લોન લઇ રિક્ષા લીધી હોઇ હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ લોનના અમુક હપ્તા ચડી ગયા હતાં. લાલો ફાયનાન્સ કંપનીના કર્મચારી સાથે કામ કરતો હોઇ તે ચડત હપ્તા વસુલવા આવ્યો હતો અને ભરતને માર મારી તેની રિક્ષા લઇ ગયો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:04 pm IST)